શું મહિલાના શ્રાપને કારણે આવી રહી છે મોરબી પર આવી મુસીબતો? જાણો શું છે આખી કહાની….. – GujjuKhabri

શું મહિલાના શ્રાપને કારણે આવી રહી છે મોરબી પર આવી મુસીબતો? જાણો શું છે આખી કહાની…..

ઔધોગિક નગરી મોરબી આજે વિશ્વમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે. વિકાસથી લઈને દરેક ક્ષેત્રમાં મોરબી આજે આગળ છે. પરંતુ શું તમે જાણો છો કે મોરબીમાં થતા અકસ્માતો પાછળ અભિશાપ હોવાનું કહેવાય છે.આ અગાઉ પણ મોરબીમાં આવી હોનારત સર્જાય ગઈ છે. જેની પાછળ એક રહસ્ય જોડાયેલું છે.

એવું કહેવાય છે કે મોરબીના રાજા જિયાજી જાડેજા એક સ્ત્રી તરફ આકર્ષાયા હતા અને તે સ્ત્રીને તે ગમ્યું ન હતું.પરંતુ રાજાએ મહિલાને હેરાન કરવાનું ચાલુ રાખ્યું.રાજાથી પરેશાન થઈને સ્ત્રીએ મચ્છુ નદીમાં ઝંપલાવ્યું અને મૃત્યુ પામી.તેણે ડૂબતા પહેલા કહ્યું હતુંસાત પેઢીઓ જશે.પછી ન તો તમારો વંશ રહેશે અને ન તમારું શહેર રહેશે.હવે એવું કહેવાય છે કે આ શ્રાપ પછી રાજાના વંશનો પણ અંત આવ્યો.

જ્યારે આ બંધ 1978 માં પૂર્ણ થયો ત્યારે જિયાજીના સાતમા વંશજ મયુરધ્વજ એક સમયે યુરોપમાં કોઈની સાથે લડ્યા અને પોતાનો જીવ ગુમાવ્યો. પછીના વર્ષે એટલે કે 1979માં પણ એક જળ હોનારત સર્જાઈ હતી.તારીખ 11 ઓગસ્ટના રોજ ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે મચ્છુ-2 ડેમમાં પાણીની આવક વધી હતી જેને લઇ બંધનો માટીનો પાળો તૂટી ગયો હતો.

જેના પરિણામે ભયંકર જળ હોનારત સર્જાઈ હતી.હજારો વર્ષો પહેલા આવેલી આ જળ હોનારતે પણ હજારો લોકોનાં જીવ લીધા હતા.આ બાદ 26 જાન્યુઆરી 2001ના રોજ સવારે 8:45 વાગ્યે ગોઝારો ભૂકંપ આવ્યો હતો. 40 સેકન્ડ સુધી ભૂકંપે ધરાને હચમચાવી નાખતાં સમગ્ર મોરબી શહેર ધણધણી ઊઠ્યું હતું. આ ભૂકંપમાં સૌથી વધુ અસર સામાકાંઠે હાઉસિંગ બોર્ડની વસાહતોને અને સોનીબજારમાં થઈ હતી,

જેમાં હાઉસિંગ બોર્ડના ત્રણ માળની ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી તેમજ સોનીબજારમાં અનેક દુકાનો, મકાનો પળવારમાં જ કાટમાળ બની ગયાં હતાં. આ સ્થળ પર ચાલી પણ ન શકાય એવી કપરી સ્થિતિ સર્જાઈ હતી.ત્યારે હાલમાં જ મોરબીમાં જુલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી.આ દુર્ઘટનામાં કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તો કેટલાય લોકો મોતના મુખમાંથી બહાર આવ્યા છે.ત્યારે આ અકસ્માત મોરબીને મળેલા અભિશાપનું કારણ પણ માનવામાં આવી રહ્યું છે.