લગ્નના ત્રીજા દિવસે જ દુલ્હન દાગીના અને રોકડ રકમ લઈને ભાગી ગઈ તો યુવકે જે કર્યું તેનાથી આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો.
હાલમાં ઘણા અવનવા કિસ્સાઓ બનતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે એક દુલ્હન તેના લગ્નના ત્રીજા જ દિવસે દાગીના લઈને ભાગી ગઈ તો ગીર-સોમનાથનો યુવક તેનો આઘાત સહન ના કરી શક્યો એટલે પોતાનું જીવન ટૂંકાવીને મોત ને ભેટી પડ્યો.
આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે દુલ્હનએ યુવાન પાસેથી ૧.૫૨ લાખ રૂપિયા પડાવીને ભાગી ગઈ તો યુવકે પણ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, આ ઘટનાની જાણ સુરત પોલીસને થઇ તો તાત્કાલિક જ પોલીસે બધી તપાસ કરીને દુલ્હન સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી હતી.
ત્યારબાદ પોલીસે યુવતીની પકડીને આગળની તપાસ કરવાની શરૂ કરી હતી, સુરત પોલીસને આ ઘટનાની માહિતી મળી તો જણાવ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૧૯ માં ગીર સોમનાથના આ યુવકે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, તો પોલીસે બધી તપાસ કરી તો જાણવા મળ્યું કે યુવકની પત્ની હાલમાં સુરતમાં છે તો તરત જ પોલીસે તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની શરૂ કરી.
આ ઘટના વિષે માહિતી મળતા માયાએ તેની બહેન મુમતાઝ સાથે મળીને ફેબ્રુઆરી ૨૦૧૯ માં ગીર સોમનાથના ઉનાના ગરાળમાં રહેતા પિતા-પુત્રએ સાથે મળીને ઉનાના આમોદ્રા ગામમાં રહેતા યુવાન પાસેથી ૧.૫૨ લાખ રૂપિયા લઈને લગ્ન કરાવ્યા હતા. લગ્નના ત્રીજા જ દિવસે દુલહન પહેરેલા દાગીના સાથે ભાગી ગઈ હતી તો આખા વિસ્તારમાં ચકચાર મચી ગયો.
ત્યારબાદ યુવક આ વાતથી ખુબ દુઃખી થઇ ગયો એટલે યુવકે તેના ઘરે જ પોતાનું જીવન ટૂંકાવીને મોતને વ્હાલું કર્યું હતું, પોલીસે મહિલાની પુછપરછ કરી તો જાણવા મળ્યું હતું આ મહિલાના સુરતમાં લગ્ન થયા હતા અને 2015 માં છૂટાછેડા લીધા હતા. તે પછી મહિલાએ ગીર-સોમનાથના યુવક સાથે લગ્ન કર્યા અને તેની પાસેથી પણ ૧.૫૨ લાખ રૂપિયા લઈને ભાગી ગઈ તો હાલમાં પોલીસએ આગળની તપાસ ચાલુ કરી.