માં ચેહરે જંગલમાં રબારીને આપ્યો હતો સાક્ષાત પરચો, માં ચેહરની બાધા રાખવા માત્રથી જ બધા કામ પુરા થાય છે. – GujjuKhabri

માં ચેહરે જંગલમાં રબારીને આપ્યો હતો સાક્ષાત પરચો, માં ચેહરની બાધા રાખવા માત્રથી જ બધા કામ પુરા થાય છે.

આમ જોવા જઈએ તો માં ચેહરાના ઘણા પરચા છે પણ આજે અમે તમને માં ચેહરે રબારીને જંગલમાં આપેલા એક પરચા વિષે જવાણીશું. સંથાલ ગામનો એક રબારી જંગલમાં ઊંટ ચરાવા માટે આવ્યો હતો. ત્યારે માં ચેહરે 60 વર્ષની ડોશીનું રૂપ ધારણ કરીને રબારી પાસે ગયા, માતા એ રબારીને કહ્યું કે મને ભૂખ લાગી છે અને મારે તારી ઊંટડીનું દૂધ પીવું છે.

રબારી કહ્યું બા હું હાલ જ ઊંટડીને દોહીને ચરાવવા માટે લઇ ને આવ્યો છુ. તો માતાએ દૂધ પીવાની જીદ પકડી. માતાએ રબારીને કહ્યું એ હું જે ઊંટડી બતાવું એનું મને દૂધ પીવડાવજે. માતાએ રબારીને એક ઊંટડી બતાવી પણ તે ઊંટડી તો કુંવારી હતી. રબારીએ માતાની વાત માનીને ઊંટડીને દુવાની શરૂઆત કરી તો દૂધના ગડા ભરાઈ ગયા.

રબારીએ આ ચમત્કાર જોઈને વિચાર્યું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી નક્કી કોઈ દેવી છે. ત્યારે રબારીએ કહ્યું કે માં તમે કોણ છો ત્યારે માતાએ કહ્યું કે હું જગત જનની ચેહર માતા છુ.

આ જંગલમાં કોઈ આવતું ન હતું. માટે હું તને જોઈને ખુબજ ખુશ થઇ ગઈ હતી. હું તને આશીર્વાદ આપું છુ કે જો કોઈપણ વ્યક્તિ પણ મારી બધા રાખશે તેના બધા જ કામ કરીશ. આજે પણ જે લોકો માં ચેહરની બાધા રાખે છે. માં તે બધાની માનતા પુરી કરે છે.