બે-બે પત્નીઓ અને નવ બાળકોના પિતા દેવા ડોનની છડેચોક હત્યા કરી દેવાઈ, જયારે તેની પાછળનું સાચું કારણ આવ્યું તો… – GujjuKhabri

બે-બે પત્નીઓ અને નવ બાળકોના પિતા દેવા ડોનની છડેચોક હત્યા કરી દેવાઈ, જયારે તેની પાછળનું સાચું કારણ આવ્યું તો…

હાલમાં રાજસ્થાનના કોટામાં સોમવારે ડોન દેવા ગુર્જરની હત્યા કરવામાં આવી હતી, તેઓ ચિતોરગઢમાં રાવતભાટાની પાસે આવેલા ગણપતિના મંદિર પાસે હર સલૂનમાં વાળ કપાવવા માટે ગયા હતા અને ત્યાં જ તેર લોકોએ આવીને તેમની હત્યા કરી હતી.દેવા ડોનના પરિવારમાં તેમને બે પત્નીઓ છે અને નવ બાળકો છે જેમાં આઠ દીકરીઓ છે અને એક દીકરો છે.દેવા ગુર્જરે બે લગ્ન કર્યા હતા એટલે તેમની બંને પત્નીઓ જેમના નામ કાલીબાઈ અને ઇન્દિરા બાઈ હતા, આ બંને પત્નીઓ સાથે જ રહેતી હતી અને બધા હરીમળીને જ રહેતા હતા.

આ પરિવારમાં એટલો સંપ હતો કે જ્યાં પણ જવું હોય ત્યાં બધા જ સાથે જ જતા અને બંને પત્નીઓ પતિ માટે કરવા ચૌથનું વ્રત પણ સાથે જ કરતી હતી.દેવા ગુર્જર પણ બંને પત્નીઓને સરખો જ પ્રેમ કરતો હતો, એટલે જ ક્યાંય જવાનું હોય તો પણ બંનેને સાથે જ લઇ જતો હતો અને તેમની સાથે ફરતો પણ હતો.

તેમ જ ત્રણેય એક સાથે જ રહેતા હતા અને હાલમાં દેવા ડોનના મૃત્યુ પછી તેમની બંને પત્નીઓની હાલત રડી રડીને ખરાબ થઇ ગઈ છે. જે સમયે દેવા ગુજરના અંતિમ સંસ્કાર તેમના ગામ બોરબાસમાં કરવામાં આવ્યા તો ત્યાં ઘણી મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.

તો આ ઘટના પછી પોલીસે આઠ લોકોને પકડી લીધા છે બીજા લોકો પણ પકડાઈ જશે, જો પોલીસના કહેવા પ્રમાણે તેમની હત્યા તેમાં મિત્રોએ જ કરી છે. જેમાંથી એક તો તેમનો ખાસ બાબુ લાલ ગુર્જર છે જેની વિષે દેવા ગુર્જરને પરિવારના લોકોએ જણાવ્યું હતું કે તે તેમને મારવા માંગે છે અને બાબુલાલે સમય સાથે દેવા ગુર્જરની હત્યા કરી.

બાબુલાલે પહેલા થોડા સમયથી દેવા સાથે રહેવાનું ચાલુ ર્ક્યું અને પછી બાબુ ગુર્જરે બધું જાણી લીધું અને સમય સાથે જ તેમના સાથિયો સાથે રહીને આ કામ કર્યું. છેલ્લા પાંચ મહિનાથી બંને સાથે રહેતા હતા અને બંનેની દોસ્તીના વખાણ લોકો કરતા હતા પણ જેને પોતાનો માન્યો હતો એજ આવો નીકળ્યો. બાબુ લાલા ગુર્જરની નજર દેવાના પૈસા પર હતી એટલે તે અવાર નવાર પૈસા માંગવા લાગ્યો હતો.