પતિના મૃત્યુ પછી આ મહિલાએ બીજા લગ્ન કરી લીધા અને માતાએ તેમની ચાર દીકરીઓને જે કહ્યું તે સાંભળીને તમારી આંખો પણ ભીની થઇ જશે.
દુનિયામાં એક માતા તેમના બાળકો માટે બધું જ કરતી હોય છે પણ હાલમાં માતાના પ્રેમને લાંછન લગાવતો એક કિસ્સો બિહારના મુંગેરમાંથી જોવા મળ્યો છે. અહીંયા એક માતા તેમના ચાર બાળકોને રસ્તા પર મૂકીને માતાએ બીજા લગ્ન કરી લીધા હતા. આ ઘટના જેટલા પણ લોકોએ જોઈ તો બધા જ લોકો હચમચી ગયા હતા અને આ ચારેય દીકરીઓ નોધારી બની ગઈ હતી.
આ દીકરીઓના પિતાનું એક વર્ષ પહેલા મૃત્યુ થઇ ગયું હતું જેમાં મહિલા બે મહિના પછી જ પંજાબમાં બીજા લગ્ન કર્યા હતા. બીજા પતિએ થોડા દિવસ દીકરીઓને તેમની સાથે રાખી અને એક દીકરાને સાથે રાખી
પછી દીકરીઓને ઘરની બહાર કાઢી દીધી હતી જ્યાં ચારસો રૂપિયા આપીને ટ્રેનમાં બેસાડી દીધા હતા. આ માતાએ એવું પણ કહ્યું હતું કે, પિતાએ તેમની જવાબદારી લીધી છે બાળકોની નહિ.
આ ચારેય દીકરીઓમાં મોટી દીકરી સંજુ કુમારીએ કહ્યું કે તેના પિતા રાજેશ બિંદનું એક વર્ષ પહેલા બીમારીને લીધે મૃત્યુ થઇ ગયું હતું. પછી ઘરની હાલત ઘણી ખરાબ થઇ ગઈ હતી જેથી માતાએ થોડા મહિના બાદ પંજાબ ગયા અને અમને સાથે રાખવાની ના પાડી હતી. આ ચારેય બહેનોમાં કાજલ, નેહા અને બ્યુટી કુમારી રસ્તા પર આવી ગઈ હતી.
આ ચારેય બહેનો ટ્રેનમાં બેસીને મુંગેર આવી ગઈ હતી, આ ચારેય બહેનો ગામમાં આવી અને મંદિરમાં એક મહિના સુધી રહી હતી. તેમના બધી જ બહેનોએ ગામમાં ભટકતી હતી આમ હાલમાં આ બાળકોને ફરતી જોઈને બધા જ લોકો ચિંતામાં મુકાયા હતા અને બધા જ લોકોની આંખોમાં પાણી આવી ગયું હતું.