ખેડૂત પિતાના મૃત્યુ થયા પછી દીકરો બેંકમાં પિતાનું ખાતું બંધ કરાવવા ગયો તો ખાતામાથી નીકળ્યા એટલા બધા રૂપિયા કે…..
આજે આપણા દેશમાં રહેતા બધા જ લોકોને મોટે ભાગે બેંકમાં એકાઉન્ટ હોય જ છે અને જેટલા પણ લોકો નોકરી કરતા હોય છે તેમને કંપની ખાતા ખોલી આપે છે. બાકી ખેડૂતોને પણ સરકારી લાભ લેવા માટે તેમને પણ ખાતા હોય છે. જયારે પણ આ ખેડૂતોને પાક નિષ્ફ્ળ જાય તો તેમને થોડું ધિરાણ મળતું હોય છે,
પણ જો કોઈ ખેડૂતનું અવસાન થઇ જાય તો તેનું ખાતું બંધ કરાવવું ફરજીયાત છે.પણ હાલમાં એક દીકરો તેના પિતાનું ખાતું બંધ કરાવવા માટે બેંકમાં ગયો અને એકાઉન્ટ બંધ કરાવવા માટે જતા એકાઉન્ટમાં ૧૫ લાખ રૂપિયા હતા અને બેન્કના કર્મચારીએ તેમને આ ચેક આપ્યો હતો.
આ કિસ્સો મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલા પાટણ ગામમાં બની છે. અહીંયા એક મૃત વ્યક્તિના પિતાનું ખાતું બંધ કરાવવા માટે બેંકમાં ગયા હતા.એ સમયે બેન્ક અધિકારીઓએ તેમને ૧૫ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો,
આ જોઈને દીકરો ચોકી ગયો હતો. મૃતક વ્યક્તિનું નામ જનવેશ કુમાર હતું અને તેઓનું થોડા દિવસ પહેલા મૃત્યુ થઇ ગયું હતું તો તેઓનો SBI માં એક વિમોં હતો. પણ પરિવારમાં કોઈને આ વીમા વિષે ખબર નહતી જયારે દીકરો આ ખાતું બંધ કરાવવા ગયો તો તેમને ૧૫ લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો.
પહેલા તો આ યુવક ચોકી ગયો હતો અને પછી બેન્કના કર્મચારીઓએ તેમને બધું સમજાવ્યું હતું. ત્યારબાદ પિતાનું ખાતું બંધ કર્યું હતું અને તેઓએ આ ચેક લઈને ઘરે ગયા હતા. તેમના પિતાએ દીકરાને તેમનો નોમિની બનાવ્યો હતો.