|

કે.લાલ જાદુગરે પ્રમુખસ્વામી મહારાજને આપેલા આ એક વચન માટે તેમને મળેલી 50 લાખ રૂપિયાની ઑફર પણ ફગાવી દીધી હતી..આ ઘટના વિષે કોઈ નહિ જાણતું હોય….

આજે અમે તમને પ્રમુખસ્વામી મહારાજ અને કે.લાલ જાદુગરના એક અનોખા પ્રસંગ વિષે જણાવીશું જેની વિષે મોટા ભાગના લોકો નહિ જાણતા હોય. એકવાર સંતો અને કે.લાલ જાદુગર ભેગા થયા હતા.

ત્યારે વાત વાતમાં કે.લાલ જાદુગરએ જણાવ્યું કે મને એક ગુટકા બનાવતી કંપનીએ એડ માટે પ્રસ્તાવ મુક્યો હતો અને તે કંપની મને 11 સેકન્ડની એડ માટે 25 લાખ રૂપિયા આપતી હતી. તો કે.લાલ જાદુગર એ આ એડ કરવાની ના પડી દીધી.

જયારે આ વાતની જાણ કંપનીના એક મોટા અધિકારીને થઇ તો તેમને ફરીવાર કે.લાલ જાદુગરને કહ્યું કે અમે તમને આ એડ કરવાના 50 લાખ રૂપિયા આપીશું. તો પણ કે.લાલ જાદુગરે આ એડ કરવાની ના પડી દીધી. તો કંપનીના લોકોએ કે.લાલ જાદુગરને કહ્યું કે તમે કેમ આ એડ કરવાની ના પાડો છો જો કોઈ વાત હોય તો આપણે મળીને તેનું નિરાકરણ લાવીએ.

તો કે.લાલ જાદુગરે કહ્યું કે આનું કોઈ નિરાકરણ નહિ આવે એમ નથી. કંપનીના લોકોએ પૂછ્યું કે એવું તો શું કારણ છે. કે.લાલે કહ્યું કે હું એકવાર શો કરવા માટે આનંદ ગયો હતો. ત્યારે મને ખબર પડી કે પ્રમુખસ્વામી મહારાજ પણ આનંદમાં છે.

તો હું ત્યારે તેમને મળવા ગયો હતો. ત્યારે મેં તેમને મારો શૉ જોવા આવવા માટે ખુબજ આજીજી કરી હતી. કારણ કે મારુ સપનું હતું કે પ્રમુખસ્વામી એકવાર મારો શો જોવા માટે આવે અને હું આ મોકો હાથથી જવા દેવા નહતો માંગતો.

મારી વિનતી પર તે મારો શો જોવા આવવા માટે રાજી થઇ ગયા અને તેમને મારો શો સારો લાગ્યો. ત્યારે તેમને મને જતા જતા કહ્યું કે કે.લાલ તમારો શો જોવા માટે હજારો લોકો આવે છે.

તો તમે તમારા શો માં લોકોને વ્યસન મુક્તિ તરફ વાળો તો સારું રહેશે. તો કે.લાલ જાદુગરે કહ્યું કે આ મારા માટે ખુબજ સારી વાત કહેવાય. અને જો હું તમારી આ એડ કરું તો મેં પ્રમુખસ્વામી મહારાજને આપેલા વચન ખોઈ બેસીસ માટે હું આ એડ નહિ કરી શકું.

Similar Posts