કલોલમાં માતા પિતાએ ખુબજ ધૂમધામથી લગ્ન કરાવી દીકરીને સાસરે મોકલી પણ દોઢ જ વર્ષમાં એવું તો શું થયું કે દીકરીને પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું…
દરેક માતા પિતાની ઈચ્છા હોય કે તેમની દીકરીને એવા પરિવારમાં મળે તે આખું જીવન ખુબજ સુખ શાંતિથી વિતાવે પણ બધાં માતા પિતાની આ ઈચ્છા પુરી નથી થતી. કલોલથી એક એવો જ દુઃખદ કિસ્સો સામે આવ્યો છે.કલોલના જામળા ગામની કોમલના આજથી દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા. માતા પિતાએ ખુબજ ધામધૂમથી દીકરીના લગ્ન કરાવ્યા હતા. લગ્નના દોઢ વર્ષમાં જ દીકરીએ ગઈકાલે પોતાના રૂમમાં જઈને પોતાનું જીવન ટૂંકાવી દેતા બધા જ ચોકી ગયા હતા.
આ વાતની જાણ થતાની સાથે જ કોમલના પતિ સિદ્ધરાજ સિંહે પોલીસને આ વાતની જાણ કરી હતી. પોલીસ તરત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને જયારે કોમલના માતા પિતાને આ વાતનિ જાણ થઇ તો તે પણ અહીં પિયરમા આવી પહોંચ્યા હતા.
ત્યાં કોમલના પિયર પક્ષમાં લોકોએ કોમલને માનસિક ત્રાસ આપતા હોવાનું કહ્યું હતું. દીકરીને માનસિક ત્રાસ આપતા હતા. તેના લીધે દીકરીએ આખરે કાંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.
કોમલના પરિવારે તેની સાસરિયા પક્ષ વિરુદ્ધ આવા આક્ષેપો લાગ્યા હતા. દીકરીના આવી રીતે જીવન ટૂંકાવવાથી આજે આખા પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ ગયો છે. જ્યાં કોમલના પરિવાર દહેજ માટે દીકરીને હેરાન કરતા હોવાનો ગુનો નોંધાવ્યો છે.
હાલ પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આજે માતા પિતા પણ દીકરીના મૃત્યુથી આભ તૂટી પડ્યું છે. દીકરીના મૃતદેહને જોઈને કહો આખો પરિવાર ધ્રુસેક ધ્રુસકે રડી રહી છે.
આ ઘટનાથી આજે કોમલના પિયરપક્ષમાં ખુબજ દુઃખ છવાઈ ગયું છે. જે દીકરીને મોટી કરી અને તે દીકરીના ધૂમધામથી લગ્ન કરાવીને તેને સાસરી મોકલી અને આટલા ટૂંકા લગ્ન જીવનમાં દીકરીએ આવયુ પગલું ઉઠાવી લેતા માતા પિતાને પણ શક છે કે દીકરી સાથે કઈ તો ખોટું થયું જ છે.