આ એક ઉકાળો પીવાથી તમારા શરીરમાં થતા સાંધાના, કમરના અને ગોઠણના દુખાવા જિંદગીભર સુધી નહીં થાય….
ઘણા લોકો બહારનું ચટપટું અને ચટાકેદાર ખાવાના વધારે શોખીન હોય છે તેના કારણે શરીરમાં અવનવી બીમારીઓ થાય છે, તે બધી જ બીમારીઓને દૂર કરવા માટે આપણે ઘણા ઉપાયો કરતા હોઈએ છીએ પણ ઘણી વાર તો તે બધી બીમારીઓ આપણા શરીરમાંથી દૂર થતી જ નથી તો તે તે બધી બીમારીઓને દૂર કરવા માટે આ ઉપાય કરવો જોઈએ.
હાલમાં બહારનું ખાવાથી ઘણા લોકોના શરીરમાં સાંધાના, કમરમાં અને ગોઠણના દુખાવા થતા જોવા મળતા હોય છે, શરીરમાં મોટાભાગના દુખાવા વાયુના કારણે જ થતા હોય છે, તેથી તમારા શરીરમાં થતા દુખાવાને દૂર કરવા માટે પહેલા તમારા શરીરમાં થતો વાયુ દૂર કરવો જોઈએ. તેથી તમારા શરીરમાં થતા દુખાવાને દૂર કરવા માટે તમાલપત્રના પાનનો ઉપયોગ કરવો જોઈએ.
જે લોકોનું શરીરનું વજન વધારે હોય તે લોકો માટે પણ આ ઉપાય કારગર નીવડે છે. આ ઉપાય કરવા માટે રાત્રે એક ગ્લાસ પાણી લેવું અને આ પાણીમાં ચાર થી પાંચ પાન તમાલપત્રના પલાળી મુકવાના, સવારે આ તમાલપત્રના પાનને પાંચ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળીને તેને ગરણી વડે ગાળી લેવાના.
આ પાણી તમારે રોજ સવારે પીવાનું છે. આ પાણી પીવાથી તમારા શરીરમાં થતા વાયુના કારણે સાંધાના, કમરમાં અને ગોઠણના દુખાવા દૂર થતા હોય છે અને તમારા શરીર માટે આ ઉપાય રામબાણ નીવડે છે. તેથી આ ઘરેલુ ઉપાય કરવાથી તમારા શરીરમાં થતી આ બધી સમસ્યાઓ દૂર થાય છે.નોધ:કોઈપણ ઘરેલુ ઉપાય કરતાં પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો…